અમૃત સિદ્ધ યોગમાં કરેલ પુરુષાર્થ ઉત્તમ પરિણામ જરૂર આપે :
અમૃત સિદ્ધ યોગમાં કરેલ પુરુષાર્થ ઉત્તમ પરિણામ જરૂર આપે :
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ના ગણિત અનુસાર આપણા તમામ પંચાગોમાં વિવિધ પ્રકાર ના અમૃતસિદ્ધ યોગનો ઉલ્લેખ અવાર નવાર જોવા મળે છે.
Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand
આ યોગ ના નામમાં જ અમૃત અને સિધ્ધિ યોગની વિશિષ્ટતા અને ઉપયોગીતા અંગે જાણકારી મેળવી ને જીવન માં સફળતા ન શિખર સર કરી શકાય છે .
આ સમયગાળા માં પુરુષાર્થ તથા પ્રયત્નો થકી ઉત્તમ પરિણામ પણ પામી શકાય છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં યોગ શબ્દ ત્રણ રીતે જુદા જુદા અર્થ માં વપરાય છે .
આ યોગ ના અર્થ માં વપરાય છે .
યોગ એટલે મળવું અથવા મેળવવું.
1. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં પંચાગ ના પાંચ અંગ એટલે તિથિ , વાર , નક્ષત્ર , યોગ અને કરણ પૈકી નું ચોથું અંગ એટલે યોગ . સૂર્ય તથા ચંદ્ર ના રાશિ - અંશ - કળા નો સરવાળો કરી ને આવેલ કુલ કળા ને 800 વડે ભાગવાથી મળે છે તે વિશ્કંભાદી 27 યોગ ના નામ ( દૈનિક યોગ ) દરરોજ પંચાગમાં જોવા મળે છે.
2. બીજા પ્રકાર ના યોગ ખાસ પ્રકાર ના તિથિ , વાર અને નક્ષત્ર ના સંયોગ થી થતા હોય છે. અમૃતસિધ્ધિ યોગ , રવિપુષ્યામૃત યોગ , સિધ્ધિ યોગ , કુમાર યોગ , યમઘંટ યોગ , સ્થિર યોગ , વ્રજમુશળ યોગ , વગેરે .
3. ત્રીજા પ્રકાર ના યોગ જન્મકુંડળી કે નવમાંશ વગેરે વર્ગ કુંડળી માં રાશી , સ્થાન , ( ભાવ ) અને ગ્રહોના વિવિધ ભ્રમણ ને કારણે થતા યોગ દા. ત. ગજકેસરી યોગ , પાપકતરી યોગ , શુભકતરી યોગ , પંચમહાપુરુષ યોગ વગેરે .
Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણે અંત્રે મુહર્ત શાસ્ત્રમાં ઉપયોગી એવા અમૃતસિધ્ધિ યોગ અંગે વિગતવાર જાણકારી મેળવીએ .
અમૃતસિધ્ધિ યોગ એટલે રવિવાર , સોમવાર , વગેરે સાત વાર ન દિવસે અમુક ચોક્કસ ચંદ્ર નક્ષત્ર આવતું હોય તો આ પ્રકાર ના શુભ યોગ બને છે .
આ દિવસે અગત્યના કાર્યો જેવા કે દસ્તાવેજ કાર્ય , પ્રવાસ , યાત્રા , મોટી નાણાકીય લેવડ દેવડ , સ્થાવર - જંગમ મિલકત ખરીદી , ઔષધ - ચિકિત્સા કર્મ વગેરે કાર્યો કરવાથી સફળતાના સંજોગો વધુ ઊજળા બને છે .
અવરોધ હળવા બને છે .
આમ છતાં ક્યારેક અપવાદ રૂપે અમુક અમૃતસિધ્ધિ યોગ માં કોઈ એકાદ ચોક્કસ કાર્ય કરવાનો નિર્ણય ( મનાઈ ) પણ હોય છે .
Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand
સાત વાર ના ખાસ અમૃતસિધ્ધિ યોગ :
1. રવિવાર ના ચંદ્ર નક્ષત્ર હસ્ત હોય ત્યારે અમૃતસિધ્ધિ યોગ બને છે. અનુભવે તે સિંહ ( મ. ટ. ) રાશી ના જાતકો ને વધુ શુભ જણાય છે . આ દિવસે સૂર્ય ના મંત્રો નું સમરણ કરી ને શુભ કાર્ય કરવાથી વિશેષ સફળતા મળે છે. અનુકૂળ હોય તો ખીર નુ ભોજન લેવું જોઈએ .
2. સોમવાર ના ચંદ્ર નક્ષત્ર મૃગશીર્ષ હોય ત્યારે અમૃતસિધ્ધિ યોગ બને છે . કર્ક ( હ. ડ ) રાશી ના જાતકો ને વધુ લાભદાયક જણાય છે. આ યોગ ના દિવસે ચંદ્ર ના મંત્રો નું સમરણ કરી ને શુભ કાર્ય કરવામાં વધુ સફળતા મળે છે. અનુકૂળ હોય તો દૂધપૌંઆ આરોગવા જોઈએ.
3. મંગળવાર ના ચંદ્ર નક્ષત્ર અશ્વિની હોય ત્યારે ભોમાશ્વીની નામનો અમૃતસિધ્ધિ યોગ બને છે . મેષ ( અ. લ. ઈ. ) વૃશ્વિક ( ન. ય. ) રાશી ના જાતકો ને આ યોગ વધુ ફળે છે . કરકરા લોટ ની ભાખરી , કંસાર કે લાપસી નું ભોજન લેવાથી અનુકૂળતા વધે છે . આ ભોમાશ્વીની નામનો અમૃતસિધ્ધિ યોગ ગૃહપ્રવેશ માં લેવાતો નથી.
4. બુધવાર ના ચંદ્રનક્ષત્ર અનુરાધા હોય ત્યારે મિથુન ( ક. છ. ધ. ) અને કન્યા ( પ. ઠ. ણ. ) રાશી ના લોકો ને વધુ લાભદાયી જણાય છે. આ યોગ ના દિવસે બુધ ના મંત્રો નું સમરણ કે વિષ્ણુ ભગવાન નું સમરણ કરી ને શુભ કાર્ય કરવાથી સફળતા મળે છે . તેમાં મગ કે મગની દાળ નું ભોજન કરવામાં વધુ ફળ દાયક નીવડે છે.
5. ગુરુવાર ના ચંદ્ર નક્ષત્ર ના પુષ્ય નક્ષત્ર માં ગુરુપુષ્યામૃત નામના ઉત્તમ અમૃતસિધ્ધિ યોગ બને છે. આ દિવસે ઉપર જણાવેલ શુભ કાર્યો ઉપરાંત સોનુ - ચાંદી - રત્ન - ઝવેરાત ની ખરીદી . વિધા ઉપાસના તથા મંત્રસિધ્ધિ માટે આ યોગ માં વિષેશ લાભ મેળવી શકાય છે. ધનુ ( ભ. ધ. ઢ. ફ. ) અને મીન ( દ. ચ. ઝ. થ ) રાશી ના લોકો વધુ સારી સફળતા પામી શકે છે . ચણા કે ચણાની દાળ નું ભોજન તથા દૂધી નું ભોજન વધુ અનુકૂળતા આપે છે. વિવશ લગ્ન અંગેના કાર્યો માટે ઉપયોગ માં લેવામાં આવતો નથી.
6. શુક્રવાર ના ચંદ્ર નક્ષત્ર રેવતી માં હોય તો આ અમૃતસિધ્ધિ યોગ વૃષભ ( બ. વ. ઉ. ) તથા તુલા ( ર. ત. ) રાશી ના લોકો ને વધુ લાભદાયક મેળવી શકે છે. તે દિવસે ચોખા ની કે પૌંઆ ની વાનગીઓ આરોગી ને કર્યો ની શરૂઆત કરવામાં આવે તો વધુ ફળદાયી નીવડે છે.
7. શનિવાર ના ચંદ્રનક્ષત્ર રોહિણી હોય ત્યારે આ અમૃતસિધ્ધિ યોગ માં બધી રીતે આ અમૃતસિધ્ધિ યોગ શુભ ફળ લાભ દાયક માનવામાં આવે છે તેમાં ખાસ કરી ને આ યોગ માં પ્રયાણ , પ્રવાસ - યાત્રા મુસાફરી નિષેધ ( વર્જ્ય ) ગણાય છે . આ યોગ ના દરમિયાન મકર ( ખ. જ. ) તથા કુંભ ( ગ. શ. સ. ) રાશી ના જાતકો ને શનિના મંત્ર ના જાપ કરીને વિશેષ લાભ મેળવી શકાય છે . તેમાં અડદ ની દાળ નું ભોજન અડદિયા જેવી વાનગીઓ આરોગી ને કાર્ય કરવાથી વધુ અનુકૂળતા આપે છે.
Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand
અમૃતસિધ્ધિ યોગ વધુ બળવાન ક્યારે બને?
1. અમૃતસિધ્ધિ યોગ જો કોઈ પણ મહિના ની શુક્લ પક્ષ ના પૂનમ ના દિવસે થતો હોય તો તેમનું બળ જરૂર વધુ થઈ જાય છે .
2. કોઈ પણ મહિના ની શુક્લ પક્ષ ની આઠમ થી કૃષ્ણ પક્ષ ની ( વદ ) પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ નું વધુ સમર્થ બનતું હોય છે.
3. સૂર્યોદય થી સૂર્યાસ્ત દરમિયાન ( દિવસ ના ભાગ માં ) આ યોગ બનતો હોય તો પણ વધુ બળવાન ગણાય છે.
4. લાભપાંચમ , વસંતપંચમી , અખાત્રીજ, દશેરા કે ધનતેરસ જેવા શુભ દિવસો માં વધુ શુભ ગણી શકાય છે.
Alpine Willow 5 Ft X 2 Ft Pre-Assembled Temple for Home with Door | Puja Mandir for Home Big Size | Pooja mandir with Door Big Size | Mandir with Doors | Large Devghar with LED Lights | Pooja Stand
અમૃતસિધ્ધિ યોગ ઓછો બળવાન ક્યારે બને ?
1. અમૃતસિધ્ધિ યોગ જો કૃષ્ણ પક્ષ ( વદ ) ચૌદસ કે અમાસ ના દિવસે થતો હોય તો તેમનું બળ ઘટતું હોય છે.
2. કૃષ્ણ પક્ષ ( વદ ) આઠમ થી શુક્લ પક્ષ ( સુદ ) પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ નું બળ સાધારણ ઓછું ગણાય છે.
3. સૂર્યાસ્ત થી સૂર્યોદય ( રાત્રી ) દરમિયાન આ યોગ બનતો હોય તો પણ તેમનું બળ ધટે છે.
4. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ના દિવસે પણ આ યોગ નું બળ ઓછું થવું ગણાય છે .
સુખ - સમૃદ્ધિ માટે મોરનાં પીછાં:
હિન્દુ ધર્મ અને વૈદિક વેદો ના ઋગ્વેદ અનુસાર હિન્દુ ધર્મ અને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં મોર ના પીછાં ને ખૂબ પવિત્ર અને ચમત્કારિક માનવા માં આવે છે .
ભગવાન કાર્તિક , ભગવાન શ્રી કૃષ્ણ તેમજ માતા સરસ્વતી નું પ્રિય વહાન તથા પ્રિય મોર ના પીછાં ને ઘર માં રાખવા થી માત્ર ઘર ની સુંદરતા જ નહીં વધતી પરંતુ નકારાત્મક ઉર્જા નો પણ નાશ થાય છે ,
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોર ના પીછાં ના કેટલાક સરળ ઉપાયો કરવાથી જીવન ની અનેક મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે .
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ના ઉપાયો :
આર્થિક તંગી દૂર કરવા :
જો ઘર માં પૈસા ની તંગી રહેતી હોય અથવા કમાણી છતાં બચત ન થતી હોય તો ધાર ના લોકર કે તિજોરી માં ઊભું મોર પીછાં ને રાખવું જોઈએ .
તેમના થી ધન આકર્ષાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
નકારાત્મક ઉર્જા થી મુક્તિ :
ઘર ના મુખ્ય દ્વાર પર ત્રણ મોરપીંછ લગાવવાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે આના થી ઘર માં સુખ , શાંતિ અને સકારાત્મકતા નો વાસ થાય છે .
રાહુ - કેતુ ના દોષ નું નિવારણ :
જો જન્મ કુંડળી માં રાહુ કે કેતુ નો દોષ હોય , તો મોરપીંછ ને પૂર્વ અથવા ઉત્તર - પશ્ચિમ દિશામાં રાખવાથી અશુભ અસરો ઓછી થાય છે .
બાળકો ની એકાગ્રતા માટે :
જે બાળકો નું મન ભણવામાં ન લાગતું હોય, તેમના સ્ટડી ટેબલ પર અથવા પુસ્તકો માં મોરપીંછ રાખવાથી તેમની એકાગ્રતા અને બુધ્ધિ માં વધારો થાય છે .
નોટ: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલું કે ખરાબ થઈ ગયેલ મોરપીંછ ઘર માં ન રાખવું જોઈએ. હંમેશા સ્વચ્છ અને સુંદર મોરપીંછ ના જ ઉપયોગ કરવો.
મોરપીંછ એ માત્ર એક સુશોભન ની વસ્તુ નથી , પણ ગ્રહદોષ નિવારણ અને ઘર માં સમૃદ્ધિ લાવવાનું એક અદભૂત માધ્યમ છે.
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -
श्री सरस्वति ज्योतिष कार्यालय
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
" Shri Aalbai Niwas "
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096 ( GUJARAT )
Vist us at: www.sarswatijyotish.com
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏





